Pages

Search This Website

Friday 19 March 2021

શુ તમે કબજિયાતથી પરેશાન છો તો 5 ઘરેલુ ઉપાય અપાવશે આરામ


March 19, 2021


શુ તમે કબજિયાતથી પરેશાન છો તો 5 ઘરેલુ ઉપાય અપાવશે આરામ 




ખાવુ કોણે નથી ગમતુ. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે ખાવાની આ ચાહત કબજિયાત, ગેસ અને ખાટા ઓડકાર જેવી પરેશાનીઓમાં બદલાય જાય છે. આ એ પરેશાનીઓ છે જે સાંભળવામાં તો નાનકડી લાગે છે પણ જ્યારે તેનો સમાનો કરવો પડે છે તો ભલભલાને પરસેવો આવી જાય છે. આજે અમે આપને એવા કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જે એસીડિટી-SEDTની સમસ્યા માટે સદીઓથી રામબાણ સાબિત થયા છે.

⏩ 1. પાણી એક અચૂક ઉપાય 

ગેસ કે એસિડીટી(SEDT)થી છુટકારો અપાવવામાં પાણી ખૂબ મદદરૂપ છે. તેનાથી બચવા માટે કુણુ પાણી પીવો.  જેનાથી તમારી પાચન ક્રિયા ઠીક રહે છે અને ગેસ પણ થતો નથી.  જો તમાને ગેસની વારેઘડીએ સમસ્યા થાય છે તો સાદુ ગરમ પાની પીવાને બદલે તેની સાથે થોડુ અજમો કે જીરુ ખાઈ લો. તેને ચાવવાની જરૂર નથી. તમે તેને પાણીથી સીધુ ઓગળી શકો છો.  ગેસની સમસ્યાથી બચવા માટે ભોજન પછી કુણુ પાણી પીવો. 

⏩ 2. આદુના Adu ફાયદા છે અનેક 

જો તમને એક એવો ઉપાય મળી જાય જે એક નહી અનેક સમસ્યાઓનો હલ કરી શકે. જી હા આદુ ઉબકા આવવા અને અપચો પેટનો દુખાવો જેવી બધી સમસ્યાઓને દૂર કરવાની તાકત રાખે છે. ગેસ થતા પેટ દર્દ અને અનેકવાર ઉબકા પણ આવે છે. આવામાં આદુ તમારી મદદ કરી શકે છે. આદુમાં બે પ્રકારના કેમિકલ જીન્જેરોલ્સ અને શ્ગૉલ્સ હોય છે જે પેટની અંદરની સફાઈ કરે છે. આ ગેસ સાથે જ એસીડીટીની સમસ્યાને પણ દૂર કરે છે. તો ગેસ થતા આદુના રસમાં ગરમ પાણી અને ખાંડ મિક્સ કરો અને તેને પીવો. 

⏩ 3. કાળા મરી kala mari- કાળા મરી પણ અનેક પરેશાનીઓથી મુક્તિ અપાવે છે. કાળા મરી લાભકારી હોય છે.  તેને ખાવાથી શરીરમાં લાર અન ગૈસ્ટ્રિક જ્યુસની માત્રા વધે છે. જે પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે.  તેથી ગેસથી બચવા માટે આહારમાં કાળા મરીનો સમાવેશ કરો. 

⏩ 4. વરીયાળી Variyali - જમ્યા પછી મમ્મી આપણને વરિયાળી આપે છે. જેનો મતલબ એ નથી કે તે ફક્ત માઉથ ફ્રેશનરના રૂપમા તમને વરિયાળી આપી રહી છે. વરિયાળીના સેવનથી ગૈસ્ટ્રિક  Gastric, એસિડ રિફ્લેક્સ જેવી સમસ્યાઓ દૂર થાય છે.  જમ્યા પછી વરિયાળીથે પેટની તકલીફોમાં લાભ મળે છે. 

⏩ 5. અજમો - ગેસ થાય કે કબજીયાત અજમો રામબાણ સાબિત થઈ શકે છે. જો પેટમાં દુખાવો છે કે ગેસની તકલીફ છે તો અડધી ચમચી અજમો અને અડધી ચમચી મીઠાને ગરમ પાણી સાથે ખાવ. તેનાથી પરેશાની દૂર થશે.

No comments:

Post a Comment